All About Breaking News

Friday, 12 September 2014

મને લાગે છે કે મારૂ નસીબ જ ખરાબ છે!

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

પોસ્ટરો તો એમ બણગાં ફૂંકશે, આગળ વધો, ઝંખનાઓ રોજ ગાડી ચૂકશે, આગળ વધો,
ફૂટપાથો પર બિછાવી જાળ ઊભા છે બધા, કોણ જાણે, કોણ કોને લૂંટશે, આગળ વધો.
-રમણીક સોમેશ્વર.

નસીબ, લક અને તકદીર એવાં હાથવગાં બહાનાં છે જેનો આપણે ફટ દઈને ઉપયોગ કરી લઈએ છીએ. આપણને સ્વીકાર્ય ન હોય એવું કંઈક બને કે તરત જ આપણે એવું કહી દઈએ છીએ કે મારાં નસીબ જ ખરાબ છે. મારી સાથે હમણાં બધું બૂરૂ જ થાય છે. જુગાર ખરાબ ચીજ છે. આમ છતાં એ એટલો મેસેજ તો ચોક્કસપણે આપે છે કે પાસા દરેક વખતે સરખા નથી હોતા. પાસા ફેંકીએ ત્યારે એ સવળા પડે અથવા તો અવળા પડે છે. પાસા ઉપર લખ્યું નથી હોતું કે આ પાસું સવળું છે અને આ પાસું અવળું છે. આપણે આપણી રીતે તેનો મતલબ કાઢીએ છીએ. આપણને જોઈતું હોય એ આવી જાય તો સવળું અને ન જોઈતું હોય એવું આવે તો અવળું. ગણતરી આપણી હોય છે અને આપણે દોષ કે યશ પાસાને આપીએ છીએ. નસીબનો પણ મોટાભાગે આપણે આવી રીતે જ ઉપયોગ કરતાં હોઈએ છીએ.
તમે માર્ક કરજો, મોટાભાગે તો આપણે આપણા વિપરીત સંજોગો અને અઘરા સમયને નસીબનું નામ આપી દેતાં હોઈએ છીએ. આ ઉપરાંત આપણે જો બીજી કોઈ ભૂલ કરતાં હોઈએ તો એ કે આપણે કોઈને જોઈને આપણાં નસીબની તુલના કરતાં હોઈએ છીએ. કોઈને સાધન-સંપન્ન જોઈને આપણે તેને નસીબદાર માની લેતાં હોઈએ છીએ. કોઈને નસીબદાર માનીએ એમાંય કંઈ ખોટું નથી,પ્રોબ્લેમ એ હોય છે કે આપણે આપણી જાતને કમનસીબ માનવા લાગીએ છીએ! ઘણાં લોકો વળી એવું પણ કરતાં હોય છે કે પોતાના કરતાં ખરાબ હાલત હોય તેનું ઉદાહરણ ટાંકી પોતાનાં નસીબ માટે આશ્વાસન મેળવતા હોય છે. એને કેવી તકલીફ છે?એના કરતાં તો આપણે સુખી છીએ! નસીબદાર અને કમનસીબીની આપણી વ્યાખ્યાઓ કેટલી છીછરી અને હલકી હોય છે? માણસ જ્યારે પોતાની સરખામણી બીજા કોઈની સાથે કરવા માંડે છે ત્યારથી એનાં દુઃખ અને ઉદાસીની શરૃઆત થાય છે. બધાંને બીજા જ નસીબદાર લાગે છે, પોતાનાં નસીબ જ ખરાબ લાગે છે.
ખબર નહીં કયા ભવનાં પાપ મને નડે છે કે મારી સાથે આવું થાય છે? મેં તો કોઈનું બૂરૂ નથી કર્યું છતાં મારી સાથે આવું થાય છે! મારે તો બધાં સાથે પ્રેમથી રહેવું છે પણ મને ખોટા લોકો જ ભટકાઈ ગયા છે. આ ભવની કોઈ ભૂલ ન મળે ત્યારે એ ગયા ભવની ભૂલને દોષ દે છે. બધાંને ક્યારેક તો એવું લાગતું જ હોય છે કે મારા ઉપર જે વીતે છે એ હું જ જાણું છું. મારી સાથે જ આવું કેમ થાય છે એવો સવાલ ઊઠે છે અને પછી છેલ્લે નસીબ ઉપર આવીને વાત પૂરી થાય છે.
એક યુવાનની વાત છે. એ જે કંપનીમાં કામ કરતો હતો એ બંધ પડી ગઈ. તેને નોકરીમાંથી છૂટો કરી દેવાયો. એની નોકરીનો ક્યાંય મેળ ખાતો ન હતો. આખરે તે કહેવા લાગ્યો કે મારાં નસીબ જ ખરાબ છે. દસ વર્ષથી જ્યાં નોકરી કરતો હતો એ બંધ થઈ ગઈ અને હવે બીજી નોકરી મળતી નથી. તેના મિત્રએ કહ્યું કે તું વારંવાર નસીબને શું દોષ દે છે? દસ વર્ષ તારી નોકરી હતી ત્યારે પણ તું નસીબને જ દોષ દેતો આવ્યો હતો કે મારી કંપની ભંગાર છે, ત્યાં કોઈ વર્કિંગ એટમોસ્ફિયર જ નથી. મારાં નસીબ ખરાબ છે કે મને આવી ભંગાર કંપનીમાં કામ કરવું પડે છે. હવે એ કંપની બંધ થઈ તો પણ તું તારાં નસીબને દોષ દે છે. તારી સાથે તારી કંપનીના ઘણાંની નોકરી ગઈ છે એ બધાં નસીબને દોષ દે છે? ખોટી વાતો ન કર. આ સમય પણ ચાલ્યો જશે અને બીજી નોકરી પણ મળી જશે. હા, એટલું યાદ રાખજે કે બીજી નોકરી મળે પછી ત્યાંના વાતાવરણને આગળ ધરીને તારાં નસીબને દોષ ન દેતો. વાતાવરણ તો આપણે જેવું માનીએ એવું જ હોય છે અને નસીબનું પણ એવું જ છે. તમારે નસીબને ખરાબ જ સમજવું હોય તો કોઈ તમને ન રોકી શકે.
આપણે બધાં કેવા છીએ? બધામાં આશ્વાસન જ શોધતા ફરીએ છીએ. કંઈક ખરાબ થાય તો પણ આપણે એવું જ કહીએ છીએ કે જે થતું હશે એ સારા માટે થતું હશે! જિંદગીની કોઈ ઘટનાને આપણે તટસ્થતાથી સ્વીકારી જ નથી શકતા! જે થયું તે થયું. બધું સારૂ જ થાય એવું કંઈ જરૃરી છે? આપણે કંઈ પણ થાય એટલે તરત જ લેબલ મારી દઈએ છીએ કે આ 'સારૂ' થયું અને આ 'ખરાબ' ! કોઈ ઘટનાને તમારાં નસીબ ન માની લ્યો!
જે સમયે જે હોય છે એ હોય છે. એને નસીબ ન સમજી લો. નાની નાની વાતમાં નસીબને દોષ ન દો. ઘણી વખત આપણે જેને કમનસીબી સમજતાં હોઈએ છીએ એ નાનકડો પડકાર હોય છે. એ પડકારમાંથી પાર ઊતરવાનું હોય છે. આપણે તો કારમાં પંક્ચર પડે તો એને પણ કમનસીબી કરાર દઈ દઈએ છીએ. થોડાક માર્ક્સ ઓછા આવ્યા તો બેડ લક, ઈન્ક્રિમેન્ટ થોડુંક ઓછું મળ્યું તો હાર્ડ લક, ફલાઈટ મિસ થઈ જાય તો પણ નસીબને દોષ, ફલાઈટ કેન્સલ થઈ જાય તો પણ આરોપ નસીબ પર મૂકી દેવાનો! આપણાં નસીબને આપણે કેટલું બધું સસ્તું બનાવી દીધું છે.
આપણી આર્થિક પરિસ્થિતિને પણ આપણે નસીબ સાથે જોડી દઈએ છીએ. જો રૃપિયો જ બધું હોત તો કોઈ ધનવાન દુઃખી ન હોત! આપણે જેને નસીબદાર સમજતા હોઈએ છીએ એ પણ પોતાને ક્યાં લકી સમજે છે? એક રાજા હતો. એવું કંઈ જ ન હતું જે એની પાસે ન હોય. રાજાને ક્યાંય મજા આવતી ન હતી. કોઈ વાત કે વસ્તુથી એને સુખ ફિલ થતું ન હતું. રાજાએ સભા બોલાવી. દરબારીઓને કહ્યું કે તમે મારી દરેક મુશ્કેલીનો ઉકેલ શોધી આપો છો, હવે મારા દુઃખનો ઉકેલ શોધી આપો. શું કરૂ તો મને મજા આવે? મને સુખ ફિલ થાય. એક દરબારીએ ઉકેલ બતાવ્યો. આપણાં રાજ્યમાં જે સૌથી સુખી માણસ હોય એનું પહેરણ તમે પહેરો તો તમે સુખી થાવ અને તેણે જે સુખ ફિલ કર્યું હોય એ તમે ફિલ કરી શકો. રાજાએ આદેશ આપ્યો કે જાવ અને આપણા રાજ્યમાં જે સુખી માણસ હોય એને શોધી લાવો.
રાજાના બધા જ લોકો કામે લાગી ગયા. લોકો પાસે જઈને પૂછયું કે તમે સુખી છો? બધાંએ કોઈ ને કોઈ કારણ આપીને કહ્યું કે હું ક્યાં સુખી છું, જુઓને, મારે આ કેવડો મોટો પ્રોબ્લેમ છે. આખરે એક માણસ મળી આવ્યો જેણે કહ્યું કે હું સુખી છું. એ માણસને રાજા સમક્ષ હાજર કરાયો. રાજાએ તેની આગતા-સ્વાગતા કરી. રાજાએ કહ્યું કે, હે સુખી માણસ, મને તારૂ પહેરણ આપ. પેલા માણસે કહ્યું, મારૂ પહેરણ?હું તો ફકીર છું. મારા શરીર પર તો એક જ કપડું છે. જો એ તમને સુખ આપતું હોય તો આ લ્યો તમે રાખો. હું તો મારી પોતડીથી પણ ચલાવી લઈશ. રાજાને પોતાનું કપડું ઓઢાડતી વખતે ફકીરે કહ્યું કે, રાજન, સુખ પહેરણ કે સાધન-સંપત્તિમાં નથી હોતું. સુખ તો આપણી અંદર હોય છે. હું મારા અંદરના સુખને જીવતું રાખું છું. તમે ખોટું સુખને બહાર શોધો છો. તમારી અંદર શોધો, મળી આવશે.
આપણે બધાં જ સુખ, શાંતિ અને ખુશીને બહાર જ શોધતાં ફરીએ છીએ અને ન મળે ત્યારે તેને કમનસીબી કે બેડલકનું નામ આપી દઈએ છીએ. નસીબ ક્યારેય ખરાબ હોતું જ નથી. આપણે પરિસ્થિતિ મુજબ તેને ગૂડ કે બેડ કરી દઈએ છીએ. પરિસ્થિતિ, સંજોગો કે સમયથી થાકી ન જાવ, એ તો બદલાતાં જ રહેવાનાં છે, એની સાથે તમારે બદલાઈ જવાની જરાયે જરૃર નથી!  
છેલ્લો સીન : 
કાંઠે ઊભેલું વહાણ સલામત હોય છે પણ વહાણો કંઈ સલામત સ્થળે રાખવા માટે બનાવવામાં આવ્યાં નથી હોતાં.    -અજ્ઞાત.
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 1 જુન, 2014. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)

તમારાં વિચારો આવકાયઁ .....
મને લખી શકો 
rajmcprojects@gmail.com

Thursday, 11 September 2014

Thursday, 19 May 2011


આપણી વાચા - જ્યોતિ ઉનડકટ

એ સવાલ માને પૂછું કે નહીં ?


     એક સવાલ મનને કોરી ખાય છે. સાથોસાથ એક અવઢવ પણ છે કે, મા અંસી વરસની છે. હવે જીવી જીવીને કેટલું જીવવાની? જતી ઉંમરે એને આ સવાલ પૂછીશ તો એનું દિલ નહીં દુભાય? મારા મનની દુવિધા એને કહું કે પછી વીતી ગયેલી વાત ઉપર ધૂળ વાળી દઉં?
     અમદાવાદથી વડોદરા જતી વખતે બાજુની સીટ ઉપર બેઠેલાં સુનીતાબહેન સાથે અનેક વિષયો ઉપર ચર્ચા થઈ. હું સંબંધો અને પરિવાર વિશેની વાતો લખું છું એ જાણ્યા પછી તો સુનીતાબહેને એમના મનની મૂંઝવણ મારી સામે ખુલ્લા દિલે મૂકી દીધી.
     સુનીતાબહેને પોતાની વાત માંડી, ‘ મારાં લગ્નને તેંત્રીસ વરસ થયાં. બે દીકરીઓની માતા બની. બંને દીકરીઓ સાસરે છે અને સુખી છે. આમ જોવા જાવ તો જિંદગીમાં કોઈ દુઃખ નથી. પતિનો બિઝનેસ સરસ મજાનો ચાલે છે. શારીરિક કે આર્થિક તકલીફ નથી.
     ‘ઓકે, ફાઇન તો, પછી કઈ વાત તમને સતાવે છે? ’
     એ વાત કરતાં પહેલાં સુનીતાબહેનની આંખો ભરાઈ આવી. કોણ જાણે કેટલાં વરસોથી મનમાં ધરબી રાખેલો એ સવાલ એમણે મારી સમક્ષ વ્યક્ત કર્યો.
     સુનીતાબહેને કહ્યું કે, ‘માતાપિતાની પસંદગીના યુવક સાથે મારાં લગ્ન લેવાયાં. લગ્ન કરીને સાસરે આવી ત્યારે સાસરે જાહોજલાલી હતી. ગર્ભશ્રીમંત પરિવારમાં ઊછરી ને શ્રીમંત સાસરે આવી એટલે મને ગોઠવાતાં બહુ વાર ન લાગી. લગ્નની શરૂઆતનો ગાળો બીજાં બધાં યુગલોની જેમ જ બહુ સરસ રીતે પસાર થઈ ગયો. પણ કાયમ માટે જિંદગી એટલી સરળતાથી નથી પસાર થતી. અમારી જિંદગીનું પાસું પલટાયું. પતિને ધંધામાં ખોટ આવી. મોટો બંગલો વેચીને અમારે નાનકડા ભાડાના ઘરમાં રહેવાનો વારો આવી ગયો.
મને સતત એવું લાગતું કે, ખરાબ દિવસોના કલાકો કેમ આટલા લાંબા હોતા હશે? સવારે દીકરીઓ દૂધ માંગે તો મારે રૂપિયાનો વિચાર કરવો પડે. દીકરીઓ દૂધ પી શકે એ માટે મેં અને મારા પતિએ કેટલીય વખત અમારી સવારની ચા પીવાનું ટાળ્યું છે. કિસ્મતને દોષ દઈને રડ્યે રાખવાથી કંઈ નહીં વળે એવું મને સમજાઈ ગયું. એ દિવસથી ખોટમાં ચાલતી પતિની ફેક્ટરીએ જવાનું શરૂ કર્યું. વીસ વરસ દિવસરાતની મહેનત રંગ લાવી. અમારી ગાડી ફરી પાટે ચડી ગઈ.’
     દરેક કાળા વાદળને એક સોનેરી કોર હોય છે. એમ માનીને અમે સંઘર્ષના દિવસો વિતાવ્યા. આંસુ લૂછીને સુનીતાબહેને વાતને આગળ ધપાવી  ‘મારી દીકરીઓનાં લગ્ન અમે અમારી હેસિયત પ્રમાણે કર્યાં. બહુ ખર્ચ ન આવે એ માટે અમે બંને દીકરીઓનાં લગ્ન સાથે કર્યાં. લગ્નનો ખર્ચ તો અમે કાઢી લીધો પણ દીકરીઓને ચડાવવા માટે સોનું અમે નહોતાં ખરીદી શક્યાં. મેં મારાં ઘરેણાં તોડાવીને દીકરીઓને સોનું આપ્યું.’
     તેમણે વાતને આગળ ધપાવી, ‘મારી બાને મારે એક સવાલ કરવો છે. એ સવાલ એમને પૂછું કે નહીં એ અંગે મારા મનમાં સવાલ છે. હું નક્કી નથી કરી શકતી કે શું કરું?’ થોડી ક્ષણોના મૌન પછી એમણે કહ્યું,
‘જ્યારે હું આર્થિક ભીંસમાં હતી ત્યારે મારા એકના એક ભાઈના ઘરે રૂપિયાના થેલાના થેલા ભરેલા મેં જોયા છે. ભાઈની વાત જવા દઈએ કે ભાઈને જવાબદારીઓ હોય એટલે એણે મને મદદ ન કરી. પણ મારી માનેય મારું પેટમાં ન બળ્યું? એણે મને એકેય વાર ન પૂછ્યું  કે બેટા, તને કંઈ મદદની જરૂર છે? ચાલો મારી બા પાસે રોકડ રકમ એટલી ન હોય પણ એની પાસે સોનાના દાગીના તો વધારે હતા. બાએ ધાર્યું હોત તો એ મારી મદદ કરી શક્યાં હોત. મારાં મનમાં એ જ સવાલ છે કે, બા સક્ષમ હતી તો પણ મને મદદ શા માટે ન કરી?’
બીજી તરફ એવો વિચાર પણ આવે છે કે, ‘આવું પૂછીશ તો બાને દુઃખ નહીં થાય?’
     ‘વેલ સુનીતાબહેન, કોઈ વાત દિલને ભારે લાગતી હોય તો પૂછી લેવામાં કંઈ ખોટું નથી. અને હા, તમારા સવાલનો જવાબ ગમે તે હોય એ સમજવાની અને પચાવવાની તૈયારી રાખજો, શક્ય હોય તો મા તરફથી જે જવાબ મળે એને ભૂલીને હળવાં થઈ જજો. બનવાજોગ છે કે, એવી કોઈ મજબૂરી હશે કે એ સમયે એમણે તમને મદદ કરવાનું ટાળ્યું હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો પિયરમાંથી એ સમયે લાખો રૂપિયાની મદદ મળી ગઈ હોત તો તમે હંમેશાં હાઉસવાઇફ બનીને પિયરના પરોપકારના બોજ તળે દબાઈને જ જીવતાં હોત. સંઘર્ષના દિવસોનો તમે તમારી રીતે સામનો કર્યો અને પોતાની રીતે સફળતા મેળવી એ આત્મસંતોષ કોઈની મદદ કરતાં વધુ મહત્વનો છે. 
     બાય ધ વે, વાચકમિત્રો તમે શું માનો છો?

Send feedbacks on :
RAJMCPROJECTS@GMAIL. COM





એકાંત માં વાંચો જો હિંમત હોય તો.....ગોધરાઃ બળેલાં જીવોની સાક્ષી હોવાની વેદના






Tuesday, 28 February 2012



ગોધરાઃ બળેલાં જીવોની સાક્ષી હોવાની વેદના

- જ્યોતિ ઉનડકટ

27મી ફેબ્રુઆરી, 2012ના દિવસે દસ વર્ષ પહેલાં લખેલી રોજનીશી બહાર કાઢી. પાના ઉપરના અક્ષરો ઉપર નજર ફેરવી કે દસ વર્ષ પહેલાંની યાદો તાજી થઈ અને એક વેદના જગાડી ગઈ.
27મી ફેબ્રુઆરી,2002ના રોજ અમે બપોરે એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. વાત એમ હતી કે, અમે નવી કાર લીધી હતી. પડોશમાં રહેતાં બે પરિવારો સાથે અમે બહાર જમવા જવાનું નક્કી કર્યું હતું. ત્યાં તો ગોધરાના સમાચારો આવવા લાગ્યા. પાર્ટીને પડતી મૂકીને હું ગોધરા ચાલી અને જીવનસાથી કૃષ્ણકાંત એની ઓફિસે.
 ચિત્રલેખાનો અંક પૂરો થઈ ગયો હતો. છતાં એડિટર ભરતભાઈ ઘેલાણી સાથે વાત કરીને ગોધરા જવાનું નક્કી કર્યું. ઘરે ટેક્સી બોલાવી. આદત પ્રમાણે ગાડીમાં બેસતાવેંત જ ડ્રાઈવરને નામ પૂછ્યું. એણે જવાબ આપ્યો, ઈમ્તિયાઝ.
 તરત જ વિચાર આવ્યો કે, ઓહ, ગોડ હવે આને કેમ કહેવું કે આપણે ક્યાં અને શા માટે જઈએ છીએ.  
ફોટોગ્રાફર કમલેશ ત્રિવેદી સાથે ગોધરા જવા નીકળી ગઈ. સવા કલાકે ગોધરા આવ્યું. શહેરમાં પ્રવેશતાવેંત જ પોલીસે રોકી. રેલવે સ્ટેશને જવા જેવી હાલત નથી. તમે પાછાં વળી જાવ. પણ પત્રકારનો જીવ પાછો શેનો વળે. માથાકૂટ કરીને રેલવે સ્ટેશન જવા નીકળ્યાં.
ગોધરાના રસ્તાઓથી જરાપણ પરિચિત ન હતી. રેલવે સ્ટેશન પહોંચ્યા એ પહેલાં સંવેદનશીલ એરિયામાંથી પસાર થયાં. એ સમયે અંદાઝસુદ્ધાં ન હતો કે, આ સેન્સેટીવ એરિયા છે. પોલન બજારનો એક રસ્તો ભેંકાર ભાસતો હતો. એ રોડ જોઈને એવું લાગ્યું કે, ઈંટના ટુકડા, પથ્થરો અને સોડા બાટલીના કાચનો બનેલો રસ્તો છે કે, ડામરની સડક
હું સ્ટેશને પહોંચી ત્યારે સાબરમતી એક્સપ્રેસના એ એસ-6 કોચને અલગ કરી ટ્રેનને આગળ રવાના કરી દેવાઈ હતી. ઉતરતી વખતે ડ્રાઈવર ઈમ્તિયાઝભાઈને સૂચના આપી કે, ગાડીમાં જ બેસી રહેજો. અને કોઈ નામ પૂછેને તો બને ત્યાં સુધી જવાબ આપવાનું ટાળજો. તમારું ધ્યાન રાખજો, કંઈ ચિંતા કરતાં નહીં હું થોડીવારમાં આવું છું. ભયનું લખલખું ઈમ્તિયાઝભાઈની આંખમાં દેખાયું. આછી ધ્રૂજારી સાથે એ બોલ્યાં, ભલે બહેન.
એસ-6 કોચ એકલો અટૂલો ધૂમાડાના ડૂસકાં ભરતો પડ્યો હતો. કંઈ જ વિચાર્યા વિના સીધી ડબ્બા પાસે પહોંચી ગઈ. બે પગથિયાં ચડવા ગઈ તો એ પગથિયાં પણ બળી ગયા હતાં. માંડ માંડ ચડી શકી.
ડબ્બામાં જઈને જે દ્રશ્ય જોયું એ આજે દસ વર્ષે પણ આંખ સામેથી હટતું નથી. ડબ્બાની છત સુધી એક લાશનો ઢગલો હતો. સૌથી ઉપર બળેલું એક શરીર કોઈના લાડકવાયા નાનકડાં બાળકનું હતું. ત્રીજી સીટ ઉપર એક સ્ત્રીનું શરીર બેઠેલી અવસ્થામાં સળગેલું દેખાતું હતું. એમાંથી હજુ ધૂમાડાં નીકળતાં દેખાતાં હતાં. એ શરીરને કેટલી વેદના થઈ હશે એ વિચારે ધ્રૂજી ઉઠી.
ડબ્બામાં ઠેર ઠેર બચવા માટે દોડાદોડી કરીને થાકી ગયેલાં શરીરો બળીને રાખ થતાં દેખાતાં હતાં. મારાં ચંપલની નીચે કોઈની રસની બંગડી ચોંટી ગઈ. મારાં મોઢામાંથી એક આહ નીકળી ગઈ.
ડબ્બામાં જોયેલી એક એક લાશ અને બચવા મથેલાં શરીરો પરથી ઉઠતાં ધૂમાડાં, ફાયર બ્રિગેડની ઘંટી અને પત્રકારોની ફોજ. માહિતી માટે આમતેમ દોડતાં પત્રકારો અને બહુ  જ થોડી સંખ્યામાં પોલીસ એવી કંઈક પરિસ્થિતિમાં રેલવે સ્ટેશને એક અજબનો અજંપો અનુભવાતો હતો.
મારી પાછળ જ ફોટોગ્રાફર કમલેશ ચડ્યો. એને કહ્યું કે, ભાઈ ફોટાં બહુ જ ધ્યાનથી પાડજો અને વધુ એંગલ મળે એ રીતે પાડજો અને કોઈ કચાશ ન રાખતાં ભલે આપણે વધુ સંખ્યામાં તસવીરો ડેવલપ કરાવવી પડે.
એ સમયે ડબ્બામાં હું, કમલેશ અને અસંખ્ય બળેલાં જીવ જ હતાં. અને મારો પત્રકાર જીવ ગણતરીઓ કરવા માંડેલો કે, હવે સ્ટોરીની શરુઆત ક્યાંથી કરવી, માહિતી કઈ રીતે અને ક્યાંથી મેળવીશ. ડબ્બાની હાલત, રેલવે સ્ટેશનનો માહોલ અનુભવીને સીધી સરકારી દવાખાને પહોંચી.
અંધાધૂધી અને લોકોની દિશા શૂન્ય હાલત જોઈને હૈયું કકળી ગયું. પણ અહીં ડિસ્ટર્બ થઈ જવું પાલવે એમ હતું નહીં અને હું ડિસ્ટર્બ થઈ પણ ન હતી. ત્યારે તો મારી ફરજ એકદમ સંવેદનશીલ વાતો લોકો પાસેથી કઢાવવાની હતી. હોસ્પિટલેથી ડીસ્ટ્રીક્ટ પોલીસ હેડ કવાર્ટર ગઈ ત્યાં ઓફિશીયલ કવોટસ લીધાં.
જમવાની પાર્ટી પડતી મૂકીને આવેલી હતી પણ જમવાનો સમય થયો ત્યારે જરાય ભૂખ નહોતી લાગી. સંવેદનશીલ અને બેસ્ટ રિર્પોટીંગની ભૂખ ઉઘડી ગઈ હતી. મન એટલું જાણતું હતું કે, બહુ જ મેજર ઘટના છે જેના પડઘાં વરસો સુધી ભૂલાવાના નથી.
આખો પાંચ-છ કલાક કામ કરીને ફરી રેલવે સ્ટેશને ગઈ. એસ -6 કોચમાંથી ધૂમાડાં નીકળતાં તો બંધ થઈ ગયેલાં પણ એટલું ફીલ થયું કે, હવેની આગ વધુ દઝાડવાની છે.
ડબ્બામાંથી ડેડ બોડીઝ કાઢતાં બ્લ્યુ ડ્રેસવાળા ફાયરમેનને પૂછ્યું કે, કેટલી લાશ કાઢી
એણે કહ્યું, બેન, હજુ લાશો કાઢવામાંથી નવરાં જ ક્યાં થયાં છીએ તો ગણવા બેસીએ.
રેલવે સ્ટેશને બહુ જ ઓછી સંખ્યામાં સ્ત્રી દેખાતી હતી. મહિલા પત્રકાર મારા સિવાય કોઈ ખાસ દેખાઈ ન હતી. જો કે, આવો વિચાર ત્યારે નહોતો આવ્ય.
 ગૂમ થયેલાં પરિવારજનો બળેલી લાશમાંથી પોતાની વ્યક્તિની ઓળખ માટે મથતાં લોકોને જોઈ એમની સાથે વાતો કરવાનું શરૂ કર્યું. ત્યારે કોઈ કોમી લાગણીઓ ન હતી. એ  સમયે ફક્ત પરિવારજનને ગૂમાવ્યાનું દુઃખ જ એ લોકોના ચહેરા પર દેખાતું હતું અને વાતોમાં પણ.
ફાયરમેન બિઝી હતાં. લાશની પાંચ લાઈનોમાંથી ત્રણ અને બે લાઈનની વચ્ચે હું રીતસર ઊભી રહી. આગળ રહેલી ત્રણ લાઈનો અને પાછળ ફરીને બાકીની પાંચ લાઈનો ગણી. પૂરી સતાવન લાશ મેં સગી આંખે જોઈ અને ગણી.
તરત જ એડિટર ભરતભાઈને ફોન કર્યો. કહ્યું, મેં સતાવન લાશ ગણી છે. બીજી બધી ગંભીર બાબતો અને સંવેદનશીલ વાતો મળી એનો રિપોર્ટ ફોન ઉપર એમને આપ્યો. ભરતભાઈએ તરત જ કહ્યું કે, આપણો અંક પ્રિન્ટીંગમાં ચાલ્યો ગયો છે. પણ હું સ્ટોપ પ્રેસ કરાવું છું. તું જલદી બરોડા પહોંચ. ફોટા ડેવલપ કરાવ અને કવર સ્ટોરી માટે ફક્ત ત્રણ ફોટા સિલેક્ટ કરીને પહેલાં મોકલી દે. રાત્રે 11 વાગા પહેલાં સ્ટોરી મળી જાય એવું કર.
ગોધરા છોડીને વડોદરા પહોંચવાનું હતું. છતાંય છેલ્લે હોસ્પિટલે ગઈ. સાબરમતી એક્સપ્રેસના ઈજાગ્રસ્ત મુસાફર મહેસાણાના વિહિપ અગ્રણી પ્રહલાદભાઈનો ઈન્ટરવ્યુ લીધો. અને ગોઝારી ઘટનાની યાદ લઈને વડોદરા જવા નીકળી ગઈ.
વડોદરા પહોંચી એ પહેલાં જ ગોધરાના લોકલ પત્રકાર નીલમ સોનીનો ફોન આવ્યો કે બહેન તમે પ્રહલાદભાઈને મળેલાંને એ પણ ગૂજરી ગયાં. અને કુલ બળેલાં જીવોનો સરવાળો 58 પર પહોંચ્યો.
બસ એ પછી મારાં ફોનની બેટરી લો થઈ ગઈ. ફોન સ્વીચ્ડઓફ થઈ ગયો. વડોદરા પહોંચી ત્યાં રસ્તાઓ સૂમસામ થઈ ગયાં હતાં. કમલેશે એનાં એક-બે મિત્રોની મદદથી એક બેઝમેન્ટમાં આવેલું સાયબર કેફે ખુલ્લું રખાવેલું અને એક કલર લેબ.
ઈમ્તિયાઝભાઈને કહ્યું, તમે તમારાં ઘરે પહોંચીને ગમે ત્યાંથી ફોન કરીને મને કહી દેજો કે, તમે હેમખેમ પહોંચી ગયા છો.
દોઢેક કલાકમાં ઘરે બેસીને સ્ટોરી લખી નાખી. ત્યાં તો કમલેશ પણ તસવીરો ડેવલપ કરાવીને આવી ગયો. ચાર રોલની તસવીરોમાંથી ફક્ત બાર તસવીરો પસંદ કરી અને સ્કેન કરીને ભરતભાઈને ઈ-મેઈલથી રવાના કરી.
ઘરે ફેક્સ હતો નહીં પડોશમાં રહેતાં રાકેશભાઈ શાહનું ફેક્સ મશીન લાવી અને સ્ટોરી મોકલી. વહેલી સવારે સાડા પાંચે ભરતભાઈનો એસએમએસ આવ્યો કે, વેલ ડન. બેસ્ટ રિપોર્ટ.
જ્યારે રેલવે સ્ટેશન હતી અને એ ઘટનાઓની સાક્ષી બનીને એ પળોમાંથી હું પસાર થતી હતી ત્યારે મારું રિપોર્ટર મન જ કામ કરતું હતું. બીજા દિવસની સવારે બધું આંખો સામેથી પસાર થયું ત્યારે મન વિચારે ચડી ગયું.
પછીના દિવસો પણ બહુ કપરાં ગયાં. કરફ્યુ અને કોમી રમખાણોના સમાચારો. જીવને હલાવી દે એવો અજંપો. પડોશમાં રહેતાં હિન્દુ-મુસ્લીમ લોકોનું ધ્યાન રાખવાનું. જીવનસાથી કૃષ્ણકાંત ત્યારે ગુજરાત સમચારની વડોદરા આવૃત્તિના તંત્રી હતા. એ બપોરના ઓફિસે નીકળી જાય તો  છેક વહેલી સવારે છાપું પૂરું કરીને ઘરે આવતાં.
ફતેગંજમાં અમારું ઘર-એપાર્ટમેન્ટ- વામા ટાવર. સામે જ મુસ્લીમ મેજોરીટીવાળો હેમ્પટન સ્કવેર. બધાં જ લોકોને સાથે રાખીને શાંતિપૂર્વક એ દિવસો પસાર કરેલાં. અનેક સમસ્યાઓને ઠેકાણે પાડી. રિપોર્ટીંગમાંથી આવું કે, એપાર્ટમેન્ટની નીચે બેઠેલાં ભાઈઓને સાચાં સમાચાર આપું. પછી મારાં કરફ્યુ પાસની મદદથી ગાડીમાં સમાય એટલાં ભાઈઓને લઈને  આખા એપાર્ટમેન્ટના પરિવારજનો માટે શાકા-ભાજી અને દૂધની વ્યવસ્થા કરવા નીકળી પડું.
ઓફિસ બંધ હતી. કોમી રમખાણોના કારણે કામવાળા તો આવતાં નહીં, હું ઘરે રસોઈ બનાવતી. સામે શાક ઉકળતું હોય તો મને એમાંથી બળેલાં શરીરની જ વાસ અનુભવાય. કૃષ્ણકાંતના રિપોર્ટર હિરેન અંતાણી એની પત્ની ખ્યાતિ સાથે અમારી ઘરે રહેવા આવી ગયેલાં. હિરેનનું ઘર સંવેદનશીલ વિસ્તારમાં હતું અને એનાં લગ્નને હજુ ત્રણ જ મહિના થયેલાં. ખ્યાતિને એકલી રખાય નહીં એટલે અમે જ એમને અમારે ઘરે બોલાવી લીધાં.( હિરેન અંતાણી અત્યારે દિવ્ય ભાસ્કર સુરત આવૃતિના તંત્રી છે)  રસોઈ બનાવતી વખતે પાસે ઉભેલી ખ્યાતિને પૂછતી કે, તું જરા આ શાકને સ્મેલ કર, એમાં મેં મસાલો કર્યો છે કે નહીં. (મને કંઈક જુદી જ સ્મેલ- બળેલાં મડદાંની) એ કહેતી હા, બરાબર છે.
મારી આંખો ભરાઈ આવતી. એ પરિસ્થિતિમાં હિંમતભેર કામ કરેલું પણ એ અનુભૂતિ અને વેદના દિલોદિમાગ પર સતત સવાર રહેતી હતી. પછી એક જ પ્રાર્થના સરી પડતી, કે કદી કોઈને આવા દિવસો કદી કોઈને ન જોવા પડે.આજે દસ વર્ષ થયાં છે ત્યારે એ બળેલાં જીવોની સાક્ષી બન્યાની વેદના એક ટીસ સાથે ધસી આવી છે.
સાબરમતી એક્સપ્રેસ - ગોધરા કાંડ પછી ઘણું રાજકારણ ખેલાઈ ગયું અને ખેલાઈ રહ્યું છે. એ રાજકારણ કે હિન્દુ –મુસ્લીમના દંગલ કે કોણ સાચું અને કોણ ખોટું એમાં નથી પડવું..... દસ વર્ષ- 3650 દિવસ – એક દાયકો પત્રકાર તરીકેની કેટલીક ઘટનાઓ ક્યારેય નથી ભૂલાતી.

Send 
Feedbacks on:

RAJMCPROJECTS@GMAIL. COM


Wednesday, 25 September 2013

Tera chehra Jab nazar aaye

Mm, aa aa aa, oh oh oh
Yeh zameen ruk jaaye, aasmaan jhuk jaaye
Tera chehra jab nazar aaye
Ho, tera chehra jab nazar aaye - 2
Ho, ho,ho,hoo
Tu ijaazat de agar
Tujhse thoda pyaar main kar loon, jaane jaan
Baith aa mere saamne
Khaali dil khaali nazar bhar loon, jaane jaan
Tu khafa ho jaaye, raat abhi ho jaaye
Bin tere aanchal mein chhup jaaye, chhup jaaye
Yeh zameen ruk jaaye, aasmaan jhuk jaaye
Tera chehra jab nazar aaye
Ho, tera chehra jab nazar aaye
Tu agar keh de mujhe
Chaand bhi le aaoon jaane jaan, jaane jaan
Ek taara maang le
Aasmaan le aaoon jaane jaan, jaane jaan
Yaad tu jab aaye, neend bhi le jaaye
Khwaabon ke jungle mein chhup jaaye, chhup jaaye
Yeh zameen ruk jaaye, aasmaan jhuk jaaye
Tera chehra jab nazar aaye
Ho, tera chehra jab nazar aaye - 2
Hm, aa aa aa, hm, aa aa aa, aa aa aa